કાજુ
મોટાભાગના લોકોને કાજુ પસંદ આવે છે, પરંતુ તેના ભાવના કારણે ઘણા લોકો તેને જોઇને જ સ્વાદ લઇ લે છે. દિવાળીના તહેવારો નજીક આવતા કાજુ બદામની ડીમાંડ પણ ખુબ વધે છે. કાજુની ઘણી મીઠાઈઓ પણ બજારમાં ઉંચી કિંમતે વેચાઈ રહી છે. આજના સમયમાં દરેક જગ્યાએ કાજુના ભાવ આસમાને પહોચેલા હશે, પરંતુ અહિયાં એક એવી જગ્યા મળી આવી છે કે, જ્યાં કાજુ મફતના ભાવે મળી રહી છે, તેમ કહીએ તો પણ ચાલે…
કાજુ એ એક શુષ્ક ફળ છે, જે આરોગ્યપ્રદ તેમજ સ્વાદિષ્ટ પણ છે. બદામની જેમ જ કાજુનું પણ સેવન લાભદાયક છે. સ્વસ્થ રહેવા માટે કાજુ ખાવું ઉત્તમ છે. કાજુમાં જોવા મળતા પોષણ તેમજ પોષક તત્વોની સાથે, કાજુ સાથે જોડાયેલી ઘણી બધી વાતોની અહિયાં ચર્ચા થવાની છે. આજના સમયમાં મીઠાઈ બનાવવા માટે કાજુનો સૌથી વધારે ઉપયોગ થાય છે.
એવું પણ માનવામાં આવે છે કે, કાજુ પોર્ટુગીઝ દ્વારા ભારત દેશ આવ્યા હતા. કાજુનાં ઝાડ ઉપર કિડનીનાં આકારનો ફળો છે. કાજુનું ફળ પાકે તે જ સમયે ઝાડમાંથી તોડવું જોઈએ. તમને લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે, આપણાં ભારતમાં જ એવું એક શહેર છે, જ્યાં કાજૂ ડુંગળી અને બટાકાની કિંમતે મળે છે.
આ કર્નલમાંથી કાજુ મેળવવામાં આવે છે. આ કર્નલની ઉપરનું પડ દુર કરવાથી તમને કાજુ મળે છે. આ સુકા ફળ પોષક તત્વોનો ખજાનો છે. કાજુમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ તેમજ ચરબી હોય છે. કાજુમાં વિટામિન A, B, C, E, K વગેરે જોવા મળે છે. કાજુમાં વિટામિન E વધુ હોય છે. કાજુમાં ફાઈબર પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કાજુમાં આયર્ન પણ હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસત જેવાં ખનિજો પણ આ ડ્રાયફ્રૂટમાં જોવા મળે છે. કાજુ ખાવા કે ખવડાવાની વાત સાંભળતા જ સાધારણ લોકોનાં હોશ ઉડી જાય છે.
દિલ્હીમાં હાલના કાજુના ભાવ 800 રૂપિયા કિલો છે, પરંતુ દિલ્હીથી 1200 KMનાં અંતરે દૂર ઝારખંડ એક વિસ્તારમાં કાજુ ડુંગળી અને બટાકાના ભાવે મળી રહ્યા છે. ઝારખંડના જામતાડાનાં વિસ્તારમાં લગભગ 49 એકર વિસ્તારમાં કાજુનાં બગીચા છે. બગીચામાં કામ કરતા બાળકો અને ત્યાના સ્થાનિકોને મફતના ભાવે કાજુનું વેચાણ થઇ રહ્યું છે.
આ કાજુનાં પાક પર અહિંના આસપાસનાં વિસ્તારનાં ઘણા લોકોનું ગુજરાન ચાલે છે. આ કાજુનાં બગીચા જામતાડા બ્લોક મુખ્યાલયથી લગભગ 4 KMનાં અંતરે આવેલ છે. કાજુમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. કાજુનાં બગીચામાં જોડાયેલા લોકોએ અનેક વખત રાજ્ય સરકારને આ પાકની સુરક્ષા માટેની પોકાર લગાવી, પણ આ વાત પર કોઈએ ધ્યાન ન આપ્યું. ગયા વર્ષે સરકાર દ્વારા નાળા વિસ્તારમાં 100 હેક્ટર જમીન પર કાજુનાં છોડ લગાવવાની જાહેરાત કરી હતી.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatapp
વોટ્સએપ 3 : Whatapp
વોટ્સએપ 4 : Whatapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ